શું છે લાફિંગ બુદ્ધાના હસવાનું રહસ્ય અને ઘરમાં રાખવાથી લાભ…

WhatsApp Group Join Now

દરેક વાસ્તુ ના નિયમો નું પાલન કરીને પોતાની સમસ્યા નું નિવારણ કરે છે. પોતાના ઘર ની ખુશી અને સુખ શાંતિ માટે પણ દરેક લોકો અલગ અલગ ઉપાય ને કરતા હોય છે. ઘણીવાર લોકોના ઘરોમાં લાફીંગ બુદ્ધાની નાની-મોટી મૂર્તિઓ જોઈ હશે. લોકો તેને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માને છે અને ગુડ લક લાવવા માટે પોતાના ઘરમાં રાખે છે.

પરંતુ શું તમને ખબર છે કે લાફીંગ બુદ્ધા કોણ હતો. તો ચાલો આજે અમે તમને જણાવીએ છીએ કે છેવટે લાફીંગ બુદ્ધાના હાસ્ય પાછળ છુપાયેલું રહસ્ય શું છે…મહાત્મા બુદ્ધના એક શિષ્ય હતા, જેમનું નામ હોતઈ હતું. તેઓ જાપાનના રહેવાસી હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે હોતેઈને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો તેઓ જોર-જોરથી હસવા લાગ્યા.તે એક બૌદ્ધ ભિક્ષુક હતા અને તેમને મોજ-મસ્તી કરવાનું ઘણું જ પસંદ હતું.તે જ્યાં પણ જતાં ત્યાં પોતાનું ગોળમટોળ શરીર દેખાડીને દરેકને હસાવતા રહેતા હતા.

આ કારણે જ ચીન અને જાપાનમાં લોકો તેમને હસતા બુદ્ધા બોલાવવા લાગ્યા. જેને અંગ્રેજીમાં લાફીંગ બુદ્ઘા કહે છે. ત્યારથી લોકો તેમને દેવતાની રીતે માનવા લાગ્યા અને તેમની મૂર્તિઓ ઘરમાં રાખવા લાગ્યા. ચીનમાં તો હોતઈ એટલે કે લાફીંગ બુદ્ધાના અનુયાયીઓએ તેમનો એવી રીતે પ્રચાર કર્યો કે ત્યાંના લોકો તેમને ભગવાન માનવા લાગ્યા.

ત્યાંના લોકો તેમની મૂર્તિને ગુડલક તરીકે ઘરમાં રાખવા લાગ્યા. જોકે ચીનમાં લાફીંગ બુદ્ધાને પુતાઈ નામથી ઓળખવામાં આવે છે.જેવી રીતે ભારતમાં ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે, તેવી જ રીતે ચીનમાં લાફીંગ બુદ્ધાને બધુ માનવામાં આવે છે. ચીન વાસ્તુ શાસ્ત્ર એટલે કે ફેંગશુઈમાં ઘરમાં સંપન્નતા માટે લાફીંગ બુદ્ધા રાખવામાં આવે છે. માન્યતા મુજબ તેને રાખવાથી ઘરમાં સરાકાત્મક ઉર્જા વધે છે.ફેંગશૂઈ અનુસાર લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘર પર રાખવાથી નકારાત્મકતા ખતમ થાય છે અને સકારાત્મકતા ફેલાઈ જાય છે.
લાફિંગ બુદ્ધાને ઘર તેમજ ઓફિસમાં રાખતી વખતે જગ્યાની પસંદગી બરાબર કરવી જોઈએ. લાફિંગ બુદ્ધાની ઉંચાઈ અને તેને જોતી વખતે તે બરાબર દેખાવા જોઈએ.
WhatsApp Group Join Now