લગ્ન કર્યા વગર રેખા આજે પણ લગાવે છે સિંદૂર.. જાણો વિગતે

WhatsApp Group Join Now

સદાબહાર અને લોકો ની ચાહિતી એવી અભિનેત્રી રેખાની સુંદરતા નાં દાખલા લોકો આજે પણ આપે છે. આજ ના સમય માં દરેક વ્યક્તિ તે જાણવા માંગે છે, કે તે 66 વર્ષની ઉંમરે પણ તેની સુંદરતા વિશે કેવી અને કઈ કાળજી લે છે. જેમ કે આજે રેખા તેની સાથે એક રહસ્ય રાખી રહી છે, જે આજે દરેક જાણવા માટે ઉત્સુક છે, અને તે છે રેખાજી નું “સિંદૂર” ! આજે પણ રેખા કોના નામ નું સિંદૂર લગાવે છે, તે કોઈ જાણતું નથી, અને આજ સુધી માં ક્યારેય રેખાજી એ તેના પર સ્પષ્ટ કંઈ કહ્યું નથી. જ્યારે તે કોઈ ફંક્શન અથવા પાર્ટીમાં સિંદૂર લગાવીને રેખા પહોંચે છે, ત્યારે દરેકના મગજમાં એક જ સવાલ થાય છે કે, રેખા તેની માંગમાં કોના નામ નું સિંદૂર આજે પણ પુરે છે.

અમિતાભ બચ્ચન સાથે રેખાના સંબંધો હતા તે વાત આજે કોઈથી છુપાયેલી નથી. એક સમય એવો હતો જ્યારે રેખા અમિતાભ બચ્ચન ને પ્રેમ કરતી હતી. વર્ષ 1980 માં, રેખા મન હતું કે અમિતાભ બચ્ચન તેના બને ના રિસ્તા ની વાત કરે. જો કે,આવું બન્યું નહીં અને એક દિવસ રેખાએ તેની શૈલી અને કળા થી આખી બોલિવૂડ ને હલાવી નાખી.

ઋષિ કપૂર અને નીતા સિંહે વર્ષ 1980 માં જ લગ્ન કર્યા હતાં. સામાન્ય રીતે લોકો લગ્નમાં વરરાજા ઉપર નજર રાખે છે, પરંતુ ત્યારે રેખા આ ફંકશનમાં આવતાની સાથે જ દરેકની નજર તેમની તરફ વળી હતી. આ એટલા માટે થયું કારણ કે એક પરિણીત સ્ત્રીની જેમ રેખા તે દિવસે માંગ પર સિંદૂર લઈને આવી હતી. ત્યાં આવેલ દરેક વ્યક્તિ આશ્ચર્યજનક રીતે રેખાથી ભરેલા સિંદૂરને જોઈ રહ્યો હતા. એ જ સમારોહમાં, જ વાત થવા લાગી કે રેખા ને અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરી લીધા કે શું ?

તે રાતના ચિત્રો અનેક ન્યુઝ સમાચાર માં છપાયા પણ રેખાએ તેના વિશે ક્યારેય ખુલ્લેઆમ વાત કરી નહીં. બોલિવૂડના સૂત્રો ની માહિતી ના જણાવ્યા અનુસાર, રેખા છેલ્લા 35 વર્ષોથી તેના પ્રેમના નામ નું સિંદૂર લગાવે છે. જોકે કેટલાક લોકો કહે છે કે રેખા તેની સુંદરતા વધારવા માટે માંગમાં સિંદૂર ભરે છે.

રેખાને ક્યારેય તેમને તેમના પિતાનો પ્રેમ મળ્યો ન હતો કે પછી તેમણે જેને પ્રેમ કર્યો તે પણ મળ્યો ન હતો. જ્યારે પણ તેમને પોતાનું દિલ લગાડ્યું ત્યારે તેમને તેનું દિલ જ તોડ્યું છે. આમ તો રેખાનું સૌથી પ્રખ્યાત લવ લાઈફ અમિતાભ બચ્ચન સાથે હતી , પરંતુ તેમના જીવનમાં ઘણા પ્રેમ આવ્યા અને ગયા પણ કોઈ તેમનું સમર્થન કર્યું ન હતું.

સંજયના રેખા સાથેના અફેરના સમાચાર આવ્યા હતા. જેનો ઉલ્લેખ રેખાના જીવનચરિત્ર ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’માં કરવામાં આવ્યો હતો. આ પુસ્તક યાસીર ઉસ્માન દ્વારા લખાયેલું છે. પુસ્તક લોન્ચ થયા પછી સમાચાર વાયરલ થયા હતા કે રેખાએ સંજય દત્તના નામ નું સિંદૂર લગાવી લીધું છે. આ સમાચાર આવ્યા પછી યાસીર ઉસ્માન ખુદ બહાર આવ્યા હતા અને ખુલાસો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ એક ખોટા સમાચાર છે.

1990 માં, રેખાએ ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યાં, પરંતુ ત્રણ મહિનામાં જ આ લગ્ન તૂટી ગયા. બંનેએ છૂટાછેડા લીધા હતા. અને તેના થોડા દિવસ પછી મુકેશે પોતાને ફાંસી આપી દીધી હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ હતી કે મુકેશે રેખા ની એક ચૂંદડી વડે ફાંસો ખાઇ લીધો હતો. છેલ્લા ઘણાં વર્ષોથી રેખા તેના બાંદ્રા વાળા ઘરે એકલી જ રહે છે, રેખાના અંગત જીવન ની જાણકારી તેમની સેક્રેટરી ફરાહના ની સિવાય કોઈ નથી જાણતું !

WhatsApp Group Join Now