ઘરની સુખ શાંતિમાં વધારો કરવા, જાણો વાસ્તુશાસ્ત્રના આ ઉપાય…

WhatsApp Group Join Now

બધા લોકો પોતાનું ઘર પવિત્ર રહે એમ ઈચ્છતા હોય છે. આપણા હિંદુ ધર્મમાં એવી માન્યતાઓ છે કે જેને પહેલે થી લોકો માનતા આવ્યા છે. એવીજ માન્યતાને કારણે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઘર માં સમ્માન વધે છે.

પરંતુ જો તમે તમારા ઘરને પવિત્ર રાખવા માંગતા હોય અને ઘર માંથી નકારાત્મક ઉર્જાને દુર કરવા માંગતા હોય તો આ એક વસ્તુ ખાસ ઘર માં રાખવી. તો ચાલો આપણે જાણીએ કે એવી કઈ વસ્તુ છે જેને ઘરમાં રાખવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે.

આનો આપણા જીવનમાં સીધો પ્રભાવ છે. પરંતુ જો એ ઉર્જાનો પ્રભાવ સકારાત્મક હોવાના બદલે નકારાત્મક હોય તો ઘરમાં રહેતા લોકો ના મન પર ખરાબ અસર પડે છે.

જેમ કે પોતાના સબંધોમાં મન મોટાવ આવી જાય વગેરે જેવી સમસ્યા થાય છે. અને જો આ ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં ખુશીઓ નું વાતાવરણ છવાઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો જણાવ્યા છે, જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો. તેના માટે તમારે કઈ પણ લેવાની કે ખર્ચ કરવાની જરૂર નથી, પરંતુ ઘરના ઇન્ટીરીયર અને અમુક સામાન ને સાચી દિશામાં અને યોગ્ય જગ્યા પર રાખીને વાસ્તુ દોષથી મુક્તિ મેળવી શકાય છે.

આપણે આખા ઘરના ઇન્ટીરીયરને વાસ્તુ મુજબ રાખવું અને તેની સાથે બાથરૂમ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જે બાથરૂમમાં પાણી ભરેલી ડોલ રાખવામાં આવે છે તે ઘર માં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. ઘરમાં ખુશી આવે છે અને લક્ષ્મી ન હંમેશા વાસ રહે છે.

આ પણ વાંચોઃ- લસણ વધારે ખાવામાં આવે તો એ ફાયદો નહીં, નુકસાન કરે છે.

ફેંગશુઈ મુજબ બાથરૂમ માટે આછા વાદળી રંગની ડોલ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ ડોલ ને ભરીને રાખવામાં આવે તો ઘરમાં પૈસાની અછત રહેતી નથી. ઘરમાં દક્ષીણ પશ્ચિમ દિશા ના સબંધ પારિવારિક સબંધો સાથે જોડાયેલ માનવામાં આવે છે.

આ દિશામાં આખા પરિવારનો ફોટો લગાવવા થી સબંધો માં મધુરતા આવે છે. કહેવાય છે કે આ દિશામાં સંયુક્ત પરિવાર નો ફોટો લગાવવાથી ક્યારેય પણ જુદા થવાની નોબત નથી આવતી.

ઘર બનાવતા સમયે દરેક લોકો ની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાથરૂમ શાનદાર હોય. એ જ કારણ થી લોકો બાથરૂમ બનાવતા સમયે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે, પરંતુ શું તમને ખબર છે બાથરૂમમાં પણ વસ્તુ દોષ હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે હા એવું પણ હોય છે.

કેટલીક ભૂલો ના કારણે બાથરૂમમાં દોષ આવી જાય છે, જેના કારણે ઘર માં નકારાત્મક ઉર્જા નો પ્રવાહ થવા લાગે છે.અમે તમને જણાવી દઈએ કે બાથરૂમના દરવાજાની બિલકુલ સામે જ ભૂલથી પણ અરીસો ન લગાવવો. તેમજ ક્યારેય પણ બાથરૂમમાં એક કરતા વધારે અરીસા ન રાખવા જોઈએ. બાથરૂમને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.

બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી શુભ ગણાય છે અને બાથરૂમમાં રાખવામાં આવેલી ડોલ હંમેશા પાણીથી ભરેલી રાખવી વધારે શુભ માનવામાં આવે છે.

ફેંગશુઈમાં ત્રણ પગ વાળો દેડકો ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને તમારા ઘરના મુખ્ય દરવાજાની આસપાસ રાખવો જોઈએ. જે રસોડા કે શોચાલય ની આસપાસ ન હોવો જોઈએ. પુસ્તકો ને ક્યારેય પણ ખુલ્લા કબાટમાં રાખવા નહિ.

WhatsApp Group Join Now